1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

Showing posts with label ગીત - ઉર્મિ ગીત. Show all posts
Showing posts with label ગીત - ઉર્મિ ગીત. Show all posts

03 September 2007

ગીત નિરાલું ગાવું..



ગી નિરાલું ગાવું..
ગીત નિરાલું ગાવું
મારે ગીત નિરાલું ગાવું...!
માનવ-મનના અરમાનોના-
સાજની સરગમ થાવું......
મારે..

સૂર્યશશીનાં રશ્મિ લઇ ને
જલધિ બિન્દુ મિલાવી દઇ ને
વિશ્વતણા વિરાટવ્યોમ પર
ઇન્દ્રધનું સરજાવું.......
મારે...


કંટક છાઇ જગની કેડી
અણદીઠી પગથારો ખેડી,
અંતરીક્ષથી સૌરભ મીઠી
જનહૈયે પ્રસરાવું.....
મારે...


ઘોર અઘોર અમાસી રાતે
સહુ વિલાપે તિમિર-ઘાટે
ત્યાં મારે વીજવેગે ઝબકી-
દીપક સહુનો થાવું.....
મારે....

ભેદ અભેદ ભૂલાવી દઇને,
નાતજાત સહુ મીટાવી દઇને,
ઉર ઉરનાં પૂર ઘૂઘવી, કિશ્તી -
માનવતાની તરાવું ....
મારે

ગીત અને સંગીત રચના : રવિ ઉપાધ્યાય

05 August 2007

પથ્થરને પરમેશ મેં માન્યા


થ્થને મેમેં માન્યા

પથ્થરને પરમેશ મેં માન્યા
ધરી હ્રદયની અભિલાષા...
અંતરની એક આરત સૂઝે
પ્રગટે જ્યોતિ દશે દિશા...

સુધબુધ ખોઇ પ્રભુ ધ્યાનમાં
મગ્ન મનોરથ-મહાલયમાં
અણુ અણુ પરમાણું વીંધ્યું
સુખ સીંચ્યું ન સુરાલયમાં

મૃત્યુ શોધ્યું, જીવન જડ્યું
ઉત્ક્રાંતિની નવલ-ઉષામાં,
અનંત યાત્રાના અભિગમમાં
ભવની ભાવટ-ફેર તૃષામાં
રચયિતા : 'રવિ ' ઉપાધ્યાય