1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

Showing posts with label ભજન. Show all posts
Showing posts with label ભજન. Show all posts

15 May 2007

કિસ્મતનો કરવૈયો

Kismat no karvayo....
પ્રસ્તાવના માટે ક્લિક કરશો, પ્રવક્તા : ડો જગદીપ ર. ઉપાધ્યાય

કિ સ્મ નો - વૈ યો

દૂહો : સરજનહાર વિના નહીં ખાલી એકે ઠામ...
દિવ્યદ્રષ્ટિથી દેખતો એ તારાં સઘળાં કામ....

મેલ રે મૂરખ મન મિથ્યા વિચાર,
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર!
માથે બેઠો રે કિરતાર.....

હૈયામાં હોય તારે શ્રધ્ધા ને સાચ,
આવે આપત્તિ તોયે આવે ના આંચ
વરસે વિપત્તિનાં વાદળ હજાર....
કિસ્મતાનો કરવૈયો બેઠો રે કિરતાર!
માથે બેઠો રે કિરતાર.....

તારાં કર્મોની એણે રાખી રે કિતાબ!
સત્યતણી લેખિનિથી લખતો હિસાબ!
જેવી કરણી તેવી ભરણી નિરધાર....
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર....
માથે બેઠો રે કિરતાર.....

વિષનાં અમૃત એને કરવાં છે સહેલ,
ઘડી તડકો ઘડી છાયા એવા એના ખેલ!
જેવી એ દેતો તેવી પામી લે પગથાર....
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર......
માથે બેઠો રે કિરતાર.......

શબ્દરચના અને સગીત્ : રવિ ઉપાધ્યાય, ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

26 April 2007

કરો રે ઉતાવળ...


રો રે તા.......


કરો રે ઉતાવળ મનવાં, સાંજ તો ઢળી ગઇ,

સજાવી લ્યો સરંજામો, વેળાઓ વળી ગઇ...


મુકામો નોંધારા દીસે, વિસામાં છે પાધરાં,

વાટ્યુંની ખરચી બાંધી લ્યો, પછીનાં ઉજાગરાં,

અગમનાં તે સંકેતોની એંધાણી મળી ગઇ....


રણની રેતમાં મનવાં, કરશો કેમ ખેતી?

મૃગજળનાં જળમાં, કેમ પકવશો રે મોતી?

બાંધીના બંધાય એવી, અગન આંધી ફરી ગઇ...


ખપમાં નહીં આવે સગું, સંબંધીને ધનમતા,

ભવ ભવનાં પુણ્યફળોનાં અંતે ઉદય થતાં,

સાંધી લ્યોને તાર આતમનો, પરમાતમમાં ભળી જઇ....

કવિ : રવિ ઉપાધ્યાય ' રવિ'