1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

26 April 2007

કરો રે ઉતાવળ...


રો રે તા.......


કરો રે ઉતાવળ મનવાં, સાંજ તો ઢળી ગઇ,

સજાવી લ્યો સરંજામો, વેળાઓ વળી ગઇ...


મુકામો નોંધારા દીસે, વિસામાં છે પાધરાં,

વાટ્યુંની ખરચી બાંધી લ્યો, પછીનાં ઉજાગરાં,

અગમનાં તે સંકેતોની એંધાણી મળી ગઇ....


રણની રેતમાં મનવાં, કરશો કેમ ખેતી?

મૃગજળનાં જળમાં, કેમ પકવશો રે મોતી?

બાંધીના બંધાય એવી, અગન આંધી ફરી ગઇ...


ખપમાં નહીં આવે સગું, સંબંધીને ધનમતા,

ભવ ભવનાં પુણ્યફળોનાં અંતે ઉદય થતાં,

સાંધી લ્યોને તાર આતમનો, પરમાતમમાં ભળી જઇ....

કવિ : રવિ ઉપાધ્યાય ' રવિ'

No comments: