1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

16 May 2007

મારી કાચી કાયા કેરા કુંભે


મારી કાચી કાયા કેરા કુંભે


મારી કાચી કાયા કેરા કુંભે, જનંનીએ પ્રગટાવ્યું રે.....

મારા કાળજડાનું કોડિયું....

મારા અંધ હ્રદયનું બંધ બારણું, અંબાએ ઊઘાડ્યું રે

માયાનું બંધન તોડિયું..... મારી


ભવના ઘાટે,

કંટક વાટે,

ડગ ભરતો ને ઠોકર વાગે;

શ્રધ્ધા શક્તિમાં જ ધરીને,

દિવ્ય આશના શ્વાસ ભરીને...

ઝુકાવ્યું મેં સાગરમાં ત્યાં, માએ પાર ઊતાર્યું રે....

મારું ડગમગ કરતું હોડિયું ..... મારી


તિમિર ભરેલી દશે દિશામાં,

પંથ ન સૂજે ઘોર નિશામાં;

જનમ મરણના ઝંઝાવાતે,

જાપ જપ્યા માના દિનરાતે;

ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે.....

મારાં નવજીવનનું પરોઢિયું....... મારી

શબ્દરચના: રવિ ઉપાધ્યાય, ગાયિકા : હંસા દવે, સંગીતકાર: દક્ષેશ ધ્રુવ, સ્વ. નંદલાલ ભૂતા ટ્ર્સ્ટ દ્વારા બાહર પાડેલ 'ગરબાવલી' અને 'ચંડીપાઠ'ની કેસેટમાં સમાવિષ્ટ. નવરાત્રિ નિર્ઝણી અને ઉરના સૂર પુસ્તકમાં પ્રકાશિત

No comments: