1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

28 May 2007

નિષ્કામ દિલે કર કામ સદા


નિષ્કા દિલે કા દા

નિષ્કામ દિલે કર કામ સદા, વિવાદ જગતને કરવા દે...
ભૂલી તારા સદગુણ ને અવગુણ યાદ જગતને કરવા દે...
તું માનવ થૈ ને માનવતાનો મંત્ર સહુને દેતો જા,
તારા વાજીંતરના સૂરનો રસસ્વાદ જગતને કરવા દે..
મનના મ્હાસાગરનાં મોતીની માળા તું સહુને દેજે,
એના બદલામાં પથ્થરનો વરસાદ જગતને કરવા દે..
જગની ઉન્નત ઇમારતનો મૂંગો પથ્થર એકાદ થજે,
અન્યાય મળે તું ને તોયે ફરીયાદ જગતને કરવા દે..
જનતા જ્યારે નિર્જનતામાં ઝંખે વાણીની સરવાણી,
તારા ઉરના સંવાદ ‘રવિ’ અનુવાદ જગતને કરવા દે..

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

No comments: