1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

05 August 2007

પથ્થરને પરમેશ મેં માન્યા


થ્થને મેમેં માન્યા

પથ્થરને પરમેશ મેં માન્યા
ધરી હ્રદયની અભિલાષા...
અંતરની એક આરત સૂઝે
પ્રગટે જ્યોતિ દશે દિશા...

સુધબુધ ખોઇ પ્રભુ ધ્યાનમાં
મગ્ન મનોરથ-મહાલયમાં
અણુ અણુ પરમાણું વીંધ્યું
સુખ સીંચ્યું ન સુરાલયમાં

મૃત્યુ શોધ્યું, જીવન જડ્યું
ઉત્ક્રાંતિની નવલ-ઉષામાં,
અનંત યાત્રાના અભિગમમાં
ભવની ભાવટ-ફેર તૃષામાં
રચયિતા : 'રવિ ' ઉપાધ્યાય

No comments: