1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

11 October 2007

આવી નોરતાંની રાત....



આવી નોરતાંની રાત....
( રાગ : મિશ્ર ભૈરવી, તાલ : કહરવા )

સરખી સહિયરોને સાથ,
દૈને તાલીભર્યાં હાથ.....
ગરબે રમતાં અંબે માત,
આવી નોરતાંની રાત.... (2) ટેક
નભમાં ચાંદલીયો મલકાય,
આજે અવનિ તો હરખાય
અંગે રંગ ઉમંગ રેલાય,
આવી નોરતાંની રાત... (2) ટેક 1

માના કુમકુમ પગલે પગલે પાવન અવનિ આજે થાય,
રૂપ સ્વરૂપે દર્શન દિવ્યે ભવભવનાં પાતક ધોવાય.
ઉમટે આજે થોકે થોક,
દર્શન કરવાને સૌ લોક,
દુ:ખડાં સઘળાં થાય અલોપ,
આવી નોરતાંની રાત..(2) ટેક 2


માનાં મનહર મુખડેથી આશિષોનાં અમૃત રેલાંય,
શ્રાંત, શ્રમિત ને શોષિતોનાં જીવન સૌ સંજીવન થાય.
માનાં પૂજન અર્ચન થાય,
ચાચર ચોકે નર્તન થાય,
જનગણ મંગલ ગીતડાં ગાય,
આવી નોરતાંની રાત.(2) ટેક 3


માની વત્સલ વીણા વાગે વરસાવે સંગીત ધારા,
હર્ષ તણાં પૂર ઉરઉરમાં ચકચૂર બનીને ઉભરાતાં
કોટિ ચંદ્રરવિનાં તેજ,
માના નૈનોમાંહી સતેજ,
માને વંદે સહું પરમેશ,
આવી નોરતાંની રાત... (2) ટેક 4


માની પાવન દ્રષ્ટિની વૃષ્ટિ સારી સૃષ્ટિ પર થાય,
જળમાં, સ્થળમાં, જડચેતનમાં પ્રાણ પૂરી દેતી મહમાંય,
માના પાયે નામે શીશ,
માંગે બાળ’રવિ’ આશિષ,
તેજે ભર મા જીવન-દિશ,
આવી નોરતાંની રાત,,, (2) ટેક 5

કવિ : રવિ ઉપાધ્યાય

No comments: